શ્રીમતિ જે જે કુંડલિયા કોમર્સ કોલેજ, એન એસ એસ યુનિટ દ્વારા "બંધારણીય હક્કો અને ફરજો સંબંધિત જાગૃતતા વિશે" માર્ગદર્શન સેમીનારનું તા. ૦૮/૦૭/૨૦૨૩ના રોજ આયોજન કરવામાં આવેલ હતું, તેમાં ઉપસ્થિત કોલેજના પ્રિન્સિપાલ ડૉ પ્રીતિબેન ગણાત્રા, તેમજ વિષય નિષ્ણાંત તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનવ અધિકાર કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા ઉપસ્થિત રહ્યા હતા તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. એચ. આર. ભાલીયા તેમજ મોટી સંખ્યા માં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.